પૂરમાં ખેડુતોને લેપ્ટોસ્પાઇરોસિસ રોગથી પ્રાણીઓનું રક્ષણ કરવું જોઈએ

લેપ્ટોસ્પાઇરોસિસ રોગ

ભારે વરસાદને કારણે પૂર અથવા જળસંચયના સંપર્કમાં આવતા ગાય અને ભેંસને જીવાણુજન્ય રોગ લેપ્ટોસ્પાઇરોસિસ થવાની સંભાવના છે. લેપ્ટોસ્પાઇરોસિસ રોગમાં અચાનક દૂધમાં ઘટાડો, ગર્ભપાત અને લાંબા ગાળાના કિસ્સાઓમાં ઊથલા મારવા જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગ ઝૂનોટિક દ્રષ્ટિએ મહત્વનો છે કારણ કે આ રોગ ખેડુતોના પરિવારના સભ્યોમાં સ્થાનાંતરિત થઈ શકે છે. મનુષ્યોમાં ગંભીર માથાનો દુખાવો, ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણો અને સગર્ભા સ્ત્રીઓમાં ગર્ભપાત થાય છે. ભારે વરસાદ પછી પૂર અને પાણી ભરાવું એ મહારાષ્ટ્ર સહિત ભારતના ઘણા ભાગોમાં એક સામાન્ય લાક્ષણિકતા બની ગઈ છે. પૂરને લીધે, મનુષ્ય તેમજ પ્રાણીઓની વસ્તીને મોટા પાયે હલનચલન જરૂરી સલામત વિસ્તારોમાં સ્થળાંતર કરવાની ફરજ પડે છે. સલામત વિસ્તારોમાં સ્થળાંતર એ પ્રાણીઓ માટે એક મોટો ખતરો છે કારણ કે મનુષ્યથી વિપરીત, તેઓને પૂરના પાણીમાં ચાલવાની ફરજ પડી છે. આ રોગના જીવાણુની હાજરી ભરાયેલા પાણીમાં હોવાથી પ્રાણીઓ આ રોગનો સંક્રમણ કરવા માટે વધુ જોખમ ધરાવે છે. પૂરને પગલે આ રોગને કાબૂમાં લેવા ખેડૂતોએ જરૂરી સાવચેતી રાખવી જોઈએ.

ગાયોમાં લેપ્ટોસ્પાઇરોસિસ શું છે?

પ્રાણીઓમાં લેપ્ટોસ્પાઇરોસિસ તીવ્ર અથવા પેટા-તીવ્ર રોગ તરીકે વ્યક્ત કરી શકાય છે. થોડા પ્રાણીઓમાં, ચેપ ઘાતક થઈ શકે છે જે આ પ્રાણીઓમાં વધુ નુકસાનકારક છે તથા કોઈપણ લક્ષણો બતાવ્યા વિના આ જીવાણુઓ પેશાબ અને દૂધ સહિતના અન્ય સ્ત્રાવમાં વિસર્જિત થઈ શકે છે. આ બેક્ટેરિયા શુષ્ક સ્થિતિ અને સૂર્યપ્રકાશ સામે ખૂબ જ સંવેદનશીલ છે તેથી સામાન્ય ઉષ્ણકટિબંધીય હવામાન પરિસ્થિતિઓમાં, અન્ય ગાયોમાં ફેલાવું મુશ્કેલ છે. પરંતુ ભેજવાળા વાતાવરણમાં, આ રોગનો ચેપ લાગવાનું જોખમ ખૂબ વધારે છે. પ્રકાશિત અહેવાલો સૂચવે છે કે દુધાળ પશુઓના તબેલા, ગટરો અને અન્ય ખેતરના કચરામાંથી આવતા પૂર અથવા સંચિત વરસાદી પાણીમાં લેપ્ટોસ્પાઇરા જીવાણુ પુષ્કળ પ્રમાણમાં હોય છે.

જ્યારે પ્રાણીઓ પૂરના પાણીમાં ઊભા હોય અથવા ચાલતા હોય ત્યારે આ જીવાણુ આંખો, ત્વચા, ઉઝરડા અથવા ઘા જેવા અકબંધ ચામડીના સ્તર મારફતે શરીરમાં પ્રવેશી શકે છે. ત્યાં ઘણા પેટા જાતિના જીવાણુઓ હોય છે પરંતુ પશુઓમાં હાર્ડ નામની પેટા જાતિ મહત્વની છે કારણ કે તેનાથી અચાનક દૂધ ઉત્પાદનમાં ઘટાડો, ગર્ભપાત અને ઊથલા મારવા જેવા લક્ષણો જોવા મળે છે.

લેપ્ટોસ્પાઇરોસિસ રોગના લક્ષણોદૂધ ઉત્પાદનમાં ઘટાડો: ભારે વરસાદ અને પૂર દરમિયાન દૂધના ઉત્પાદનમાં અચાનક ઘટાડો થતાં લેપ્ટોસ્પાઇરોસીસની શંકા હોવી જોઈએ. ઘટાડો અચાનક અને તબેલામાં ઘણા પ્રાણીઓમાં જોવા મળશે (કારણ કે તેમનો સ્રોત એક છે). હિમોગ્લોબિનની હાજરીને લીધે, દૂધ લાલ રંગનું જોવા મળે છે. મહેરબાની કરીને યાદ રાખો કે આ રોગમાં બધા જ આંચળના દૂધના રંગમાં વિકૃતિકરણ જોવા મળે છે, જે આઉના સોજાના રોગ કરતાં અલગ છે. પ્રાણીઓ હળવા તાવથી પીડાય છે, જે ઘણા કિસ્સાઓમાં ક્ષણિક હોય છે, ત્યારબાદ દૂધમાં ઘટાડો થાય છે. કેટલાક કિસ્સાઓમાં, આઉના સોજાના રોગની નોંધ લેવામાં આવે છે જેમાં દૂધ જાડું, કરાઠા/ ખીરા જેવું અને લોહીની હાજરી હોય છે.ગર્ભપાત / ગર્ભ મૃત્યુ:વાગોળતાં પશુઓમાં લેપ્ટોસ્પાઇરોસિસ પણ ગર્ભપાતનું કારણ છે, જે છેલ્લા ત્રિમાસિક ગાળામાં થઈ શકે છે. વહેલું ગર્ભ મૃત્યુ પણ નોંધાયું છે.ઊથલા મારવા:પ્રાણીઓ કે જે લેપ્ટોસ્પાઇરોસિસથી સંક્રમિત હોય તેઓ ગાભણ થતાં નથી.વ્યૂહાત્મક નિવારણઘણાં સિરોલોજીકલ પરીક્ષણો ઉપલબ્ધ છે પરંતુ આ માટે પ્રયોગશાળા ગોઠવવાની આવશ્યકતા રહે છે અને તે ખર્ચાળ છે. પૂરની સંભાવનામાં શ્રેષ્ઠ વ્યૂહરચના એ છે કે રોગિષ્ટ પશુના શરીરના વજન દીઠ ડાયહાઇડ્રોસ્ટ્રેપ્ટોમિસીન ૨૫ મિલિગ્રામની એક ડોઝમાં આપવી. દૂધ આપતી અને સગર્ભા હોય તેવી ગાયમાં વ્યૂહરચનાત્મક સારવાર કરવી જોઈએ.

તેથી, વિનંતી છે કે સરકારી એજન્સીઓ તેમની પૂર-નિયંત્રણ નીતિઓમાં લેપ્ટોસ્પાઇરોસિસ વ્યૂહાત્મક નિવારણ ક્રિયાને શામેલ કરે, કારણકે તે ઝૂનોટિક મહત્વ ધરાવે છે.


અનુવાદક

ડૉ. તન્વી સોની
પશુચિકિત્સક, ગુજરાત