સરકારશ્રી તરફથી નાની ગૌશાળાનું એકમ સ્થાપવા અપાતી સહાય

“ડેરી વ્યવસાય વિકાસ યોજના” નાબાર્ડ દ્વારા નાણાકીય સહાય આપી પશુપાલકોને જુદી જુદી યોજનાઓ દ્વારા મદદ કરવામાં આવે છે દા.ત. નાની ગૌશાળા બનાવવા માટેની સહાય. આ યોજનાનો મુખ્ય હેતુ ડેરી ઉદ્યોગને વધારવો  અને જોડીયો વ્યવસાય ઉભો કરી પશુપાલકની આવકમાં ઉમેરો કરવો.

યોજનાના ઉદ્દેશ:- 

  • સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે આધુનિક ગૌશાળા સ્થાપિત કરવી
  • સારી ઓલાદ તૈયાર કરવા વોડકીઓ (વાછરડીઓ)ના  ઉછેર માટે પ્રોત્સાહન આપવુ ,
  •  છુટા છવાયા જાતિ, સમૂહને ગ્રામ્ય કક્ષાએ જ દૂધની પ્રાથમિક પ્રક્રિયામાં  માળખાકીય બદલાવ લાવવો,
  • વ્યાપારિક ધોરણે દૂધની ગુણવત્તા અને યંત્રણમાં સુધારો કરવો,
  • બિન સામુહિક ઉત્પાદકો  માટે સ્વરોજગાર માટે માળખું તૈયાર કરવું,

અમલીકરણની મુદ્દત અને સંચાલન :

આયોજન પંચની બાકી મુદ્દત માં દેશ ભરમાં ઓપરેશન ફ્લડ (શ્વેત ક્રાંતિ)અંતર્ગત  લેવાયેલ હોય એવા બધાજ વિસ્તારમાં 2 દુધાળા જાનવરો માટે સહાય આપવાનુ અમલીકરણ કરાયુ . આ યોજના 1લી  સપ્ટેમ્બરથી અમલમાં આવી એટલે કે 1લી  સપ્ટેમ્બર 2010 ના કે ત્યાર બાદ બેંક દ્વારા મજુર થયેલ કે વિતરણ કરવામાં આવેલ અરજીઓને આવરી લેવામાં આવશે. આ અગાઉની યોજનામાં આવરી લેવાયેલ અરજી ધ્યાન પર લેવામાં આવશે નહીં.

પાત્રતા (યોગ્યતા) 

યોજનાની રૂપરેખા એ રીતે તૈયાર કરવામાં આવેલ કે યોજનાનનો લાભ લેવાનો દરેકને એકસરખો મોકો  મળે.

  • પશુપાલક,વ્યક્તિગત વ્યાવસાયિક, એનજીઓ,વિખરાયેલ જાતિ અને સમૂહ , સ્વ સહાય જૂથ , સહકારી દૂધ મંડળી, દૂધ સંઘ અને ફેડરેશન,
  • એક વ્યક્તિ દરેક યોજનાનો લાભ લઈ શકશે પરંતુ એક વેળા જ લાભ મળી શકશે,
  • એક પરિવારમાંથી એક થી વધુ સભ્ય યોજનાનો લાભ લઈ શકશે પરંતુ અલાયદુ એકમ અને અલગ માળખું હોવું જોઈએ.વધુમાં બંને એકમ વચ્ચે ઓછામાં ઓછું 500મીટરનું અંતર હોવું જોઈએ.

એકમદીઠ ખર્ચ :-

આ યોજના અંતર્ગત 10 જાનવર માટે મહત્તમ રુ 5લાખ સુધીની સહાય મળવા પાત્ર છે જેમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 10 જાનવર હોવા જોઈએ.

સામાન્ય જાતિના પશુપાલકને તેના આયોજન ના 25%(રુ 1.25 લાખ 10 જાનવર માટે)અને અનુસૂચિત જતી અને અનુસૂચિત જા જાતિને 33.33% (રુ 1.67 લાખ 10 જાનવર માટે)સહાય મળવા પાત્ર છે. એટલે કે સામાન્ય જાતિ ના પશુપાલકને જાનવર દીઠ રુ 25000 અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાન  જાતિને રુ 33.300 મળવાપાત્ર છે.સહાય એકમ દીઠના પ્રમાણમાં ફાળવવામાં આવશે.

સહાય (ભંડોળ) ફાળવવાની પદ્ધતિ:-

  • વ્યાવસાયિક વ્યક્તિને આયોજનના 10% ભાગ તરીકે આપવાના રહેશે.
  • સામાન્ય જાતિ ના અરજદારને 25% અને અનુસૂચિત જાતિ, જનજાતિને 33.33% સહાય આપવામાં આવશે.
  • બેંક લોનનો અસરકારક હિસ્સો આયોજનના 40% જેટલો હશે.

શાખ સાથે જોડાણ:-

માન્ય નાણાકીય સંસ્થા દ્વારા  મજુર કરાયેલ પ્રોજેક્ટની સહાય શાખ સાથે જોડાયેલ રહેશે.

માન્યતા પ્રાપ્ત નાણાકીય સંસ્થાઓ :- 

  • વ્યાવસાયિક બેંક,
  • વિભાગીય ગ્રામીણ બેંક,
  • રાજ્ય સહકારી બેંક,
  • રાજ્યની કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક,
  • આ ઉપરાંત આવી સંસ્થાઓ કે જેને નાબાર્ડ તરફથી પુન:ધિરાણ કરવામાં આવતું હોય.

નાબાર્ડ તરફથી ગૌશાળા (ડેરી ફાર્મિંગ )માટે સહાય મેળવવાની કાર્યવાહી :-

  1. ડેરી ઉદ્યોગને લગતી કઈ  યોજના કરવા માંગો છો તે જણાવવું.અગાઉ જણાવ્યા મુજબની યોજનાઓ માંથી નક્કી કરો.
  2. સંસ્થાની નોંધણી કરાવો અથવા ડેરી સંલગ્ન વેપાર વિષે વિગત આપો અથવા એનજીઓ સાથે જોડાઓ.
  3. વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ તૈયાર કરો સાથે બેન્ક લોન માટેની અરજી તૈયાર કરો.
  4. સદર અરજી ઉપર જણાવ્યા મુજબની નજીકની કોઈ પણ નાણાકીય સંસ્થાની શાખામાં આપો.
  5. બેન્ક તરફથી લોન મજુર થાયે સ્વભંડોળ તેમજ બેન્ક લોનમાંથી  કાર્યવાહી શરુ કરો.લોન નું  વ્યાજ, સમય મર્યાદા,સમાન્તર બાંહેધરી વિ  નો અધિકાર બેંકને છે.
  6. બેન્ક દ્વારા પ્રથમ હપ્તો આપ્યા બાદ બેંકે નાબાર્ડને અરજી કરી લોન માટે ની સહાય મજુર કરી છૂટી કરવા અરજી કરવી.
  7. નાબાર્ડ દ્વારા બેન્કને સહાય આપ્યાબાદ બેંકે સદર સહાય “સબસીડી રિઝર્વ ફળ માં રાખવી જેનું વ્યાજ મળશે નહીં.
  8. પ્રયોજક દ્વારા સંતોષજનક કામગીરી થાયે ઉપરોક્ત બેન્ક ખાતામાંથી બાકી લોન ખાતામાં સરભર કરવામાં આવશે.

 

સદર દરખાસ્ત નજીકની અધિકૃત નાણાકીય સંસ્થાની શાખાને આપવી.

(નાબાર્ડના પરિપત્રના આધારે)

લેખક: ડો અબ્દુલ સામદ , રિટાયર્ડ ડીન , મુંબઈ વેટરનરી કોલેજ , મુંબઈ

અનુવાદક : ડો ઘનશ્યામ ધોળકીયા , વડોદરા