સરકારશ્રી તરફથી દૂધ બનાવટોના પરિવહન તેમજ શીતકરણ માટેસહાય

“દૂધ(ડેરી) વ્યવસાયિક વિકાસ યોજના” નાબાર્ડ દ્વારા પશુપાલકને વિવિધ યોજનાઓ દ્વારા જેમકે દૂધઅને બનાવટોનો બગાડ અને દુર્વ્યય અટકાવવા શીતકરણની સુવિધા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. મુખ્ય ઉદ્દેશ દુગ્ધ વ્યવસાયનો વિકાસ કરવો અને પશુપાલકને આવક માટે જોડીઓ વ્યવસાય ઉભો કરવો.

યોજનાના ઉદ્દેશ:-

  • સ્વચ્છ  દૂધ ઉત્પાદન માટે આધુનિક ગૌશાળા બનાવવી.
  • સારી ઓલાદનું પ્રજનન કરવા વોડકી(વાછરડી) નો ઉછેર કરવો.
  • વિચરતી જાતિના મૂળભૂત માળખામાં બદલાવ લાવવો જેથી ગ્રામ્ય કક્ષાએ જ દૂધની પ્રાથમિક પ્રક્રિયા કરી શકાય.
  • દૂધની ગુણવત્તામાં સુધારો કરવો અને પરંપરાગત પદ્ધતિ બદલાવી દૂધનું વ્યાપારિક ધોરણે વ્યવસ્થા કરવી
  • વિચારતી જતી માટે સ્વરોજગાર ઉભો કરવો અને માળખાકીય ફેરફાર કરવો.

પાત્રતા (યોગ્યતા):-

યોજનાનું આયોજન એ રીતે કરવામાં આવેલ છે કે દરેકને યોજનાનો લાભ લેવાનો સરખો મોકો મળે.

  • પશુપાલક,વ્યક્તિગત વ્યાપારી (સાહસિક), એનજીઓ, સંસ્થા, અસંગઠિત કે સમૂહનું  જૂથ,ઉપરાંત સામુહિક રીતે જોડાયેલ સંસ્થા જેમકે સહકારી દૂધ મંડળી, દૂધ સંઘ કે ફેડરેશન.
  • એક વ્યક્તિ બધી જ યોજનાનો લાભ લઈ શકશે પરંતુ લાભ એક વખત જ મળી શકશે.
  • એક પરિવારમાંથી એકથી વધુ સદસ્ય યોજનાનો લાભ લઈ શકશે પરંતુ અલગ એકમ અને માળખું બનાવવું પડશે અને બે એકમ વચ્ચેનું અંતર ઓચ્છામાં  ઓચ્છુ  500 મીટર હોવું જોઈએ.

એકમ દીઠ કિંમત (ખર્ચ):-

એકમ દીઠ વધુમાં વધુ રુ 24 લાખ સુધીનો અંદાજિત ખર્ચ માન્ય કરવામાં આવશે.

સામાન્ય વર્ગના પશુપાલકને અંદાજિત ખર્ચના 25% અને અનુસૂચિત જતી અને જનજાતિને 33.33% એટલે કે સામાન્ય પશુપાલકને રૂ 6 લાખ અને અનુસૂચિત જાતિ, જનજાતિને રૂ 8 લાખ સુધીની સહાય યોજનાના અંતે મળશે.

સહાયની માળખું :-

  • વ્યાપારિક સાહસિક ને 10% ફાળો આપવો પડશે.
  • સામાન્ય વર્ગના વ્યક્તિને અંદાજના 25% અને અનુસૂચિત જાતિ ,જનજાતિને 33.33% એટલેકે રૂ 6 લાખ અને અનુસૂચિત જતી, જનજાતિને રૂ 8 લાખ સુધીની શે યોજના પુરી થયે સહાય આપવામાં આવશે.
  • અસરકર્તા બેંક લોન -બાકી રહેતો ભાગ ઓચ્છામાં ઉંચ્ચો 40%

શાખ સાથે જોડાણ:-

માન્ય  નાણાકીય સંસ્થા દ્વારા મજુર કરવામાં આવેલ યોજનાંની સહાય શાખ સાથે જોડાયેલ હશે તેને જ મળશે.

માન્ય નાણાકીય સંસ્થા

  • વ્યવસાયિક બેંક ,
  • વિભાગીય ગ્રામીણ બેંક
  • રાજ્ય સહકારી બેંક ,
  • રાજ્ય કક્ષાની કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક
  •  અન્ય સંસ્થાઓ કે જેને નાબાર્ડ દ્વારા પન:ધિરાણ કરવામાં આવતું હોય.

નાબાર્ડમાંથી સહાય મેળવવાની વિધિ.

  1. ડેરી ઉદ્યોગને લગતી કઈ યોજના કરવા માંગો છો તે જણાવવું.અગાઉ જણાવ્યા મુજબની યોજનાઓ માંથી નક્કી કરો.
  2. સંસ્થાની નોંધણી કરાવો અથવા ડેરી સંલગ્ન વેપાર વિષે વિગત આપોઅથવા એનજીઓ સાથે જોડાઓ.
  3. વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ તૈયાર કરો સાથે બેન્ક લોન માટેની અરજી તૈયાર કરો.
  4. સદર અરજી ઉપર જણાવ્યા મુજબનીનજીકની કોઈ પણ નાણાકીય સંસ્થાની શાખામાં આપો.
  5. બેન્ક તરફથી લોન મજુર થાયે સ્વભંડોળ તેમજ બેન્ક લોનમાંથી કાર્યવાહી શરુ કરો.લોન નું  વ્યાજ, સમય મર્યાદા,સમાન્તર બાંહેધરી વિ  નો અધિકાર બેંકને છે.
  6. બેન્ક દ્વારા પ્રથમ હપ્તો આપ્યા બાદ બેંકે નાબાર્ડને અરજી કરી લોનમાટે ની સહાય મજુર કરી છૂટી કરવા અરજી કરવી.
  7. નાબાર્ડ દ્વારા બેન્કને સહાય આપ્યાબાદ બેંકે સદર સહાય “સબસીડી રિઝર્વ  માં રાખવી જેનું વ્યાજ મળશે નહીં.
  8. પ્રયોજક દ્વારા સંતોષજનક કામગીરી થાયે ઉપરોક્ત બેન્ક ખાતામાંથી બાકી લોન ખાતામાં સરભર કરવામાં આવશે.

સદર દરખાસ્ત નજીકની અધિકૃત નાણાકીય સંસ્થાની શાખાને આપવી.

(નાબાર્ડના પરિપત્રના આધારે)

લેખક: ડો અબ્દુલ સામદ , રિટાયર્ડ ડીન , મુંબઈ વેટરનરી કોલેજ , મુંબઈ

અનુવાદક : ડો ઘનશ્યામ ધોળકીયા , વડોદરા